Organizing pilgrimages to sacred Tirths for spiritual enhancement
વર્ષ દરમિયાન જૈન શાસનના ગિરનાર, રાણકપૂર, ક્ષત્રીયકુંડ, તારંગા, શેરીષા, કાવી, નાંદીયા વિગેરે વિશિષ્ઠ સ્થાવર તીર્થોનો ચાર-પાંચ દિવસનો યાત્રા પ્રવાસ ગોઠવવામાં આવે છે. જેમાં એક જ તીર્થમાં સ્થિરતા કરી તે તીર્થ સાથે તાદાત્મ્ય ભાવ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ યાત્રા પ્રવાસમાં ઉભયટંક એકાસણું તથા જીનપૂજા ફરજિયાત રાખવામાં આવે છે. તીર્થમાં જિનાલયશુધ્ધી, ઉપકરણશુધ્ધી, સ્નાત્રપૂજા, ભાવના વિગેરે વિશિષ્ટ રીતે કરવામાં આવે છે.
લગભગ 300-400 યુવાનો દર વર્ષે આમાં જોડાય છે. ત્યાં યુવા મિલનનું પણ આયોજન થાય છે. આજુબાજુના ગામમાં અનુકંપા કરવામાં આવે છે તથા તીર્થના સર્વ સ્ટાફનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવે છે.
365 Days