આ વર્ષે પર્યુષણ પૂર્વ ભારતના સરાક ગામોમાં કરીએ
પર્વ પર્યુષણ : મહાન પર્વ
સાધર્મિક ભક્તિ : મહાન ધર્મ
સંવેગ રંગશાળા ગ્રંથમાં શાસ્ત્રકાર ફરમાવે છે કે, “જે સાધર્મિક ભાઈને ધર્મ કાર્ય યાદ કરાવે છે
એમને દોષોનું સેવન કરતા રોકે છે અને ધર્મમાં જોડે છે એ શ્રેષ્ઠ સાધર્મિક ભક્તિ છે
સૌ ચાલો આ વર્ષે પર્યુષણમાં આવી ઉત્કૃષ્ટ સાધર્મિક ભક્તિ કરીએ
સૌ ચાલો પર્યુષણ કરવા બંગાળ,બિહાર,ઝારખંડના સરાક ગામોમાં જઈએ..
પ્રભુના સ્પર્શથી પાવન – ફળદ્રુપ છે આ જમીન, ચાલો વાવેતર કરીએ
જીર્ણ થયું છે લાખો સરાક ભાઈઓનું જૈનત્વ, ચાલો જીર્ણોદ્ધાર કરીએ..
જ્યાં પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોનો યોગ ન હોય તેવા ક્ષેત્રોમાં ચુસ્ત ધાર્મિક યુવાનો પર્યુષણ મહાપર્વની આરાધના કરવા-કરાવવા જાય છે. ભાવના, ક્વિઝ, વકતૃત્વ સ્પર્ધા, બે ટાઇમ પ્રતિક્રમણ, બે વખત પ્રવચન સાથે અનેકવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આ પ્રવુર્તિ દ્વારા શાસનનું ઋણ કઈક અંશે અદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ કાર્ય ગ્રુપના યુવાનો લગભગ છેલ્લા ૧૫ વર્ષોથી કરી રહ્યા છે.
ભારતભરના વિવિધ સંઘોમાં અમને પર્યુષણ મહાપર્વની આરાધના કરાવવાનો લાભ મળ્યો છે.